Question
દ્વિમાપી આકૃતિ વિશે ટૂંકનોંધ લખો.

Answer

  • આપેલી માહિતીનો જથ્થો કે વ્યાપ સંખ્યાત્મક રીતે મોટો કે વિસ્તૃત હોય ત્યારે દ્વિમાપી આકૃતિ દોરવામાં આવે છે.
  • દ્વિમાપી આકૃતિમાં લંબાઈ અને પહોળાઈ એમ બંને માપને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • આ પ્રકારની આકૃતિમાં આકૃતિનું ક્ષેત્રફળ માહિતીના કુલ જથ્થાને પ્રમાણસર લેવામાં આવે છે.
  • આવી આકૃતિઓમાં ચોરસ, લંબચોરસ, વર્તુળ અને વૃતાંશ-આકૃતિનો સમાવેશ થાય છે.
  • જે પૈકી બે મહત્વની આકૃતિ $(1)$ વર્તુળ આકૃતિ અને $(2)$ વૃતાંશ આકૃતિ છે.
વર્તુળ આકૃતિ :
  • વર્તુળ આકૃતિએ દ્ધિમાપી આકૃતિનો પ્રકાર છે.
  • જ્યારે બે કે તેથી વધુ બાબતોની માહિતીના આપેલ જથ્થા વચ્ચે મોટો તફાવત હોય ત્યારે વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે. આવી આકૃતિમાં માહિતીના કુલ જથ્થાના પ્રમાણમાં વર્તુળનું ક્ષેત્રફળ લેવામાં આવે છે.
  • વસ્તુનો કુલ જથ્થો $=$ વર્તુળનું ક્ષેત્રફળ $= \pi r^2$, જયાં, $\pi=\frac{22}{7}$ કે $3.14$ અને $r$ એ વર્તુળની ત્રિજયા દર્શાવે છે.
  • કોઈ પણ વર્તુળનું ક્ષેત્રફળ તેની ત્રિજયાના વર્ગના સમપ્રમાણમાં હોય છે.
  • આમ, વર્તુળ આકૃતિ દોરવા માટે જુદી જુદી માહિતીની સંખ્યાત્મક કિંમતોનું વર્ગમૂળ શોધી આ વર્ગમૂળના માપની ત્રિજયા લઈ એક જ સીધી રેખા પર વર્તુળના કેન્દ્ર બિંદુ આવે તે મુજબ જુદા જુદા વર્તુળો સરખા અંતરે ચડતાં કે ઉતરતા ક્રમમાં દોરવામાં આવે છે.
  • જયારે સમય સંબંધિત માહિતી આપેલી હોય ત્યારે આપેલ સમય પ્રમાણે જ વર્તુળ દોરવામાં આવે છે.
  • જો વર્તુળની ત્રિજયા મોટી હોય તો તેને કોઈ અચળાંક વડે ભાગીને અથવા જો ત્રિજયા નાની હોય તો તેને કોઈ અચળાંક વડે ગુણીને તે ત્રિજયાના માપથી વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે.
વૃતાંશ આકૃતિ :
  • જયારે કોઈ વસ્તુ કે બાબતની કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી સંખ્યાત્મક રીતે મોટી હોય ત્યારે કુલ માહિતી દર્શાવવા માટે યોગ્ય માપની ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરવામાં આવે છે.
  • ત્યાર પછી તેના પેટા વિભાગોની માહિતીને વૃતાંશમાં દર્શાવવામાં આવે છે.
  • વૃતાંશ આકૃતિમાં કુલ માહિતીના $360^o$ ગણવામાં આવે છે અને તેના આધારે પ્રત્યેક પેટાવિભાગની માહિતીને અનુરૂપ વૃતાંશના અંશ શોધી તેને વર્તુળ પર રજૂ કરવામાં આવે છે.
  • આ રીતે વૃતાંશ આકૃતિ દ્વારા પેટાવિભાગોની સરખામણી કરી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની માહિતી પરથી વિષમતાંક શોધી કઈ માહિતી વધારે વિષમ છે તે નક્કી કરો.
માહિતી $A : 5 Q_{1}=4 Q_{2}=3 Q_{3}=120$
માહિતી $B : 6 Q_{1}=5 Q_{2}=4 Q_{3}=180$
જો $f(x)=x^{3}+3^{x}-x^{2}-2^{x}$ હોય તો $f(3)-6 f(2)$ ની કિમત શોધો.
નીચેના શબ્દોના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણીઓ કરી શકાય $?$
$(1)\ \text{STATISTICS},$
$(2)\ \text{BOOKKEEPER},$
$(3)\ \text{APPEARING}$
$f(x)=5 x-900, x \in R$ છે. X = 500 હોય ત્યારે $f(x)$શોધો. ઉપરાંત x ની કઇ કિંમત માટે $f(x)=10$ થશે?
$\Sigma d =25, \Sigma d ^2=272, n = 100$ અને ધારેલો મધ્યક $4$ છે. આ માહિતી પરથી ચલનાંક શોધો.
$5$ પુરુષો અને $3$ સ્ત્રીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ત્રણેય સ્ત્રીઓ એકસાથે ન આવે $?$
એક ડીસ્પ્લે રેફ્રિજરેટરમાં કંપની Aની 2 ચૉકલેટ, કંપની Bની 3 ચૉકલેટ અને કંપની Cની 4 ચૉકલેટ છે. તાનિયા તેમાંથી 3 ચૉકલેટની પસંદગી કરે છે, તો તેમાં કંપની Bની ઓછામાં ઓછી બે ચૉકલેટ કેટલી રીતે પસંદ કરી શકે ?
સ્તરિત યાદચ્છિક નિદર્શનના ગેરલાભ જણાવો.
એક માહિતીનો ચલનાંક 30 %, મધ્યક 40 અને વિષમતાંક 0.25 હોય, તો બહુલક શોધો.
સ્તરિત યાદચ્છિક નિદર્શનપદ્ધતિના લાભ અને ગેરલાભ લખો.