સંચાર-માધ્યમ એટલે માહિતી કે સંદેશાની આપ-લે કરવા માટે વપરાતા સાધનો. ટેલિવિઝન, રેડિયો, ફોન, અખબાર વગેરે સંચાર માધ્યમો છે. તેના દ્વારા આપણે લોકોમાં જાગૃતિ ફેલાવી શકીએ છીએ, જેમ કે પ્રદૂષણ, ગરીબી, બાળમજૂરી વગેરે. ટીવી દ્વારા આપણે કોઈ પણ રમતનું જીવંત પ્રસારણ જોઈ શકીએ છીએ અને તાજેતરમાં બનેલી ઘટનાઓની માહિતી પણ મેળવી શકીએ છીએ.