ગધ : મોન એ જ વીરતા — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : મોન એ જ વીરતા2 Marks
Question
‘સંયમજન્ય મૌનમાં વીરતા છે’ એમ લેખક શા માટે કહે છે$?$
✓
Answer
લેખક બિનઆવશ્યક બોલાયેલા વેણ / વચન / શબ્દોની સરખામણીમાં મૌનને વધુ મહત્ત્વ આપે છે. મૌન રહેવામાં ક્યાં ને કેટલો ભય રહેલો છે, તેની પણ સ્પષ્ટતા લેખક કરે છે, અને કહે છે કે “ભયજન્ય'' મૌનમાં કાયરતા છે આ વાત સાચી છે. માણસ જ્યારે જાણે છે / સમજે છે કે તેને કોઈ અન્ય વ્યક્તિ કે વ્યવસ્થા દ્વારા અન્યાય થઈ રહ્યો છે; તેમ છતાં તે મૌન રહીને તેને થતા અન્યાય વિરુદ્ધ જે તે વ્યક્તિ / વ્યવસ્થાની સામે ફરિયાદ કરવાની જગ્યાએ મૌન રહેવાનું સ્વીકારે, તો આ પ્રકારના મૌનના કારણો તપાસવા જોઈએ, જો આનું કારણ “ભય'' છે $-$ તો આ પ્રકારના “ભયજન્ય” મૌનમાં કાયરતા છે. સંયમજન્ય મૌનમાં વીરતા ! અંગે લેખક કહે છે કે જયારે કોઈ શરીરથી અને મનથી બળવાન માણસ, પોતાને થતાં અન્યાયની સામે લડી શકવા સક્ષમ હોય, તેમ છતાં દયા ભાવના કે એવા કોઈ શુભ આશયથી $-$ તેને જેનાં દ્વારા અન્યાય થયો હોય, તેનું તે પ્રત્યે ધ્યાન દોરી $-$ “ફરી એવું નહિ બને'' $-$ એવી બાંહેધરી મેળવી, અન્યાયકર્તા માણસને માફ કરે ત્યારે આને “સંયમજન્ય મોન” માં આપણે મૂકી શકીએ અને આવા મૌનમાં 'વીરતા' છે જ $-$ એમ નિર્વિવાદ છે. આપણી જૂની કહેવત આ વાતને સમર્થન આપે છે. “क्षमा वीरस्य भूषण”|
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.