Question types

સંક્ષેપીકરણ question types

26 questions across 1 question group — pick any mix to generate a Gujarati paper with step-by-step answer keys.

26
Questions
1
Question groups
5
Question types
Sample Questions

સંક્ષેપીકરણ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

‘'પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી ઉમદા અને સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની એવી મહોબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી, કંઈ કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, સફર કરી શકો છો. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકે નથી.”
- મોહમ્મદ માંકડ
View full solution
અમુક સદ્ગુણો અને સિદ્ધાંતોને વળગી રહો. જીવનમાં કદી તેમનો ત્યાગ કરો નહિ. તેઓ જ તમારા મિત્રો અને મદદગાર બનશે. આથી તમારી પ્રગતિ થઇ છેવટે શાશ્વત સુખ અને સફળતા પ્રાપ્ત થશે. આ સદ્ગુણોને અમલમાં મૂકવા માટે નિશ્ચય કરો અને તે માટે અંગત ડાયરી રાખો. તમારી રોજની વર્તણૂક અને વાણીની નોંધ રાખો. આથી તમારો વિકાસ થાય છે કે નહીં તેનો ખ્યાલ આવશે. તમારી ભૂલો નજરે પડશે. જે તમે સુધારી શકશો. ડાયરી મિત્રની ગરજ પૂરી પાડી તમારી નિર્બળતા બતાવી તમને નમ્ર બનાવશે. રોજ ઈશ્વરની પ્રાર્થના કરો અને તેને આંતરિક બળ અને વહેંચણી આપવા માટે વિનંતી કરો. આથી આત્મબળ અને સદ્ગુણોમાં વૃદ્ધિ થશે. આદર્શ આત્માઓનાં જીવનચરિત્ર અને ઉપદેશમાંથી પ્રેરણા મેળવી તે અનુસાર તમારું જીવન ઘડતર કરો. તમારું મન કદી આળસું કે શૂન્ય બનશે નહિં. ઉમદા જીવન માટે સારા વિચાર ચાવીરૂપ છે.
View full solution
શિસ્તના બે પ્રકાર છે : સ્વયંશિસ્ત અને ફરજિયાત શિષ્ટ. ‘સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ’ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે; પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયંશિષ્ટ કે સ્વૈચ્છિક શિષ્ટના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઇ શકે છે. ફરજિયાત પાળવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયંશિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી- વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકાનું અને ઈંગ્લૅડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઇ શકશે. શિષ્ટના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિધાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ-મિલકતનું નુકશાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તનાં જ પરિણામ છે. શિસ્તને સદ્વ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે .
View full solution
પશ્ચાત્તાપ એ એક કીમતી ધર્માનુભવ છે. જે વાસણ માટી કે રાખથી સાફ થતાં નથી તે જેમ તેજાબથી સાફ થાય છે ને કટ બધો ઓગળી કે બળી જઈ વાસણ ચળકવા માંડે છે, તેવી જ રીતે ધર્મજીવન પર બાઝેલી કેટલીયે શિથિલતા પશ્ચાત્તાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે. ખરેખર પશ્ચાત્તાપની અસર તેજાબથી ઓછી નથી હોતી. સૃષ્ટિ માટે ને એમાંય માનવજીવન માટે ઈશ્વરની યોજના છે મંગળ ને પવિત્ર. એમાં ભંગાણ પાડી શકે માનવીની મૂર્ખાઈથી, પણ એ ભંગાણ પાછું સંધાય છે. માનવીના પશ્ચાત્તાપથી ને ઈશ્વરની અનહદ કૃપાથી. આખરે એની એ દિવ્ય યોજના આગળ ચાલવાની જ. -કાકા કાલેલકર
View full solution
યુવાન માણસોમાં ઘણુંખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઇ પડે છે. કોઈ લુચ્ચો માણસ તેમને કહેશે કે હું તમારો મિત્ર છું તો ખરે જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર વિચારે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશાં નુકસાન થાય; એટલું જ નહિ પણ ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. તેવા મિત્ર આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ તેમના બોલવામાં કાંઈ ભરોસો રાખવો નહિ.પહેલી જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઇ જાય છે એવું કદી ધારતા નહિ . ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વ થતી નથી.
View full solution

Generate a સંક્ષેપીકરણ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App