Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ3 Marks
Question
આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગોની ચર્ચા કરો.
✓
Answer
આંકડાશાસ્ર એક એવું વિજ્ઞાન છે કે જેમાં વિવિધ ઘટનાઓ કે પ્રક્રિયાઓનું પ્રયોગો કે તપાસ દ્વારા અવલોકન કરી તેનુ સ્વરૂપ જાણવા.
સમજૂતી આપવા તેમજ તુલના કરવા માટે જરૂરી સાંખ્યાકીય માહેતી એકત્ર કરી તેનું વર્ગીકરણ તેમજ કોષ્ટીકરણ કરી ગણતિક પદ્ધતિઓ દ્વારા તેનું પૃથક્કરણ કરવામાં આવે છે.
આધુનિક યુગમાં આંક્ડાશાસ્રને એક વ્યવહારલક્ષી અને પ્રાયોજિત વિષય તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે.
ઔદ્યોગિક આંકડાશાસ્ર અને આંકડાશાસ્રની એક શાખા કાર્યાત્મક સંશોધન (operation Research) નો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો હતો.
કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરી. ઈ.સ. 1953માં પ્રો.પી.સી. મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું.
કાર્યાત્મક સંશોધનની પધ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં, ઔધોગિક ક્ષેત્રે માણસો, યંત્રો વગેરેની ઈષ્ટતમ ફાળવણી કરવા માટે ઉપરાંત બજારમાં પેદાશોની ભાવિ માંગને પહોંચી વળવા સંગ્રહ કે પૂરવઠાનું કદ નક્કી કરવા માટે ઉપયોગી બને છે.
રોજબરોજના વ્યવહારમાં પણ માહિતીને સંક્ષિપ્તમાં અસરકારક સચોટ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આંકડાશાસ્રના વિવિધ માપો અને પદ્ધતિઓ ઉપયોગી બની રહે .
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.