Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ3 Marks
Question
ચિત્રાકૃતિ ઉદાહરણ સહિત સમજાવો.
✓
Answer
જે પ્રકારની માહિતી આપેલી હોય તેને અનુરૂપ ચિત્ર દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે તે આકૃતિનેચિત્રાકૃતિ કહેવામાં આવે છે.
જેમ કે જો માહિતીમાં વસ્તીને લગતાં આંકડા આપેલા હોય તો તેની રજૂઆત માનવચિત્રોવાળી આકૃતિ દ્વારા કરવામાં આવે છે.
તેવી જ રીતે અનાજના ઉત્પાદન માટે ડુંડાનું ચિત્ર, દૂધનું ઉત્પાદન દર્શાવવા માટે દૂધની બાટલીનું ચિત્ર, મત્સ ઉત્પાદન દર્શાવવા માટે માછલીનું ચિત્ર વગેરે દ્વારા માહિતીની રજૂઆત કરી શકાય.
ચિત્રાકૃતિ દ્વારા લોકોનું ધ્યાન સહેલાઈથી આકર્ષિત કરી શકાય છે.
નિરક્ષરો, ઓછું ભણેલ વ્યક્તિઓ અને બાળકોને માહિતી સમજાવવા માટે આ રીત વધુ ઉપયોગી છે.
ચિત્રાકૃતિ સમજવામાં ભાષાના બંધનો નડતા નથી.
ચિત્રાકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરવાની પદ્ધતિ $\text{ISOTYPE}\ ($International System of Typhographic Pictorial Education$)$ તરીકે જાણીતી છે.
વેપારીઓ અને ઉત્પાદકો પોતાની વસ્તુઓ કે ઉત્પાદનની જાહેરાત માટે ચિત્રાકૃતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે.
અલબત્ત આ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો એ છે કે આંકડાશાસ્ત્રીય વિશ્લેષણમાં તેના ઉપયોગ ખૂબ મર્યાદિત છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.