દયારામ તેમનાં ઇષ્ટદેવ શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. કવિ માને છે કે જેને જીવનભર ખોટાં કર્યો કર્યા છે, જે લોભી, કપટી, ક્રોધી, કમી, લફંગો કે લુચ્ચો બનીને જીવનભર જીવ્યો છે, તેવા પુરુષ પણ જો ખરી શ્રદ્ધાથી ઈશ્વરને શરણે જાય, તો તેને ઈશ્વરકૃપા મળે છે, તો દયારામે તો જીવનભર ભક્તિ કરી છે. જીવન જીવતાં નાની મોટી ભૂલો કદાચ જો થઈ ગઈ હોય, તો તેને અવગણીને ઈશ્વર તેમના પર જરૂરથી કૃપા ઉતારશે.