Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનમુઘલ સામ્રાજ્ય5 Marks
Question
ટૂંકનોંધ લખો : શાહજહાં અને બાંધકામ
✓
Answer
મુઘલ શાસકો ભવ્ય મહેલોના ખૂબ શોખીન હતા.
શાહજહાંને બાંધકામ પ્રત્યે સૌથી વધુ શોખ હતો. તેના સમયમાં દરબાર ધનદોલતઅને જાહોજલાલીની બાબતમાં સમૃધ્ધ હતા.
શાહજહાં એ કેટલાક વિશ્વપ્રસિધ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા.
જેમાંથી તાજમહલ વિશ્વની સાત અજાયબીમાની એક છે.
શાહજહાંએ લાલ કિલ્લામાં દીવાને આમ અને દીવાને ખાસ બંધાવ્યા હતા.
આ ઉપરાંત મોતી મસ્જિદ, દિલ્હીની જુમ્મા મસ્જિદ જેવાં પ્રસિધ્ધ સ્થાપત્યો બંધાવ્યા હતા.
શાહજહાંએ “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખાય હતો.
શાહજહાંએ દિલ્હી પાસે શાહજહાબાદ નામનું શહેર વિકસાવ્યું હતું અને આ શહેરમાં ભવ્ય ઈમારતો બંધાવી હતી.
આમ, શાહજહાંએ વિશ્વપપ્રસિધ્ધ બેનમૂન સ્થાપત્યો પરથી ફલિત થાય છે કે શાહજહાંને બાંધકામ પ્રત્યે લગાવ અને વિશેષ રુચિ હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.