Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ3 Marks
Question
આગણક દ્વારા પ્રશ્નાવલિની રીતના લાભ-ગેરલાભ જણાવો.
✓
Answer
લાભ: 1. યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉતરદાવા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. 2. જયારે ઉતરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉતરદાતા ને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે. 3. પ્રશ્નાવલી માહિતી વધારે વિશ્વનીય હોય છે. ગેરલાભ: 1. કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. 2. મોટી સંખ્યામાં નિમાયેલ આગણકોને લીધે તેમને ચૂકવવાનું આવતું મહેનતાનું તપાસના કુલ ખર્ચમાં વધારો કરે છે. 3. તપાસ માટેના બિનતાલીમ બદ્ધ આગણકો ને તાલીમ આપવાનું કાર્ય ખુબજ મુશ્કેલીભર્યું છે. વળી, તાલીમ મેળવ્યા બાદ તેઓ કુશળતાપૂર્વક અથવા કાર્યદક્ષતા પૂર્વક કામ કરશે તેવું માની લેવું વ્યાજબી નથી. 4. જયારે ઉતરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે આ રીતે અયોગ્ય બની જાય છે.આ સંજોગોમાં તપાસના ખર્ચ અને સમયમાં વધારો થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.