પ્રયાણ’ પાઠનું શીર્ષક યથાર્થ છે. પાઠને અને ભદ્રંભદ્રને સમજવામાં આ શીર્ષક ખરેખર યોગ્ય સાબિત થાય છે. આર્યધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે મુંબઈ જવામાં ‘પ્રયાણ કરવું પડે છે. ભદ્રંભદ્ર આ કારણે એ કથ્ય ઉમંગ અનુભવે છે. પ્રસંગોપાત સંસ્કૃત પ્રચુર ભાષામાં વાતચીત કરે છે ત્યારે તેમનું આર્યધર્મ સાચવવાનું ‘પ્રયાણ” કારણભૂત બને છે.યવનના સ્પર્શથી સ્નાન કરીને શુદ્ધ થવાનું પ્રયાણ જરૂરી બને છે, ચકો કરીને તે પર ઊભા રહીને પાણી પીવું, એ ભારતીય સંસ્કૃતિને બચાવવાનું પ્રયાણ દર્શાવે છે. આમ, ભદ્રંભદ્ર વેદધર્મનું રક્ષણા કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો જય કરવા – પ્રચાર કરવા અનેરા ઉમંગથી મુંબઈ જવા પ્રયાણ કરે છે, એ વાતથી જ ‘પ્રયાણા’ પાઠનું શીર્ષક પથાર્થ સાબિત થાય છે.