Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનમુઘલ સામ્રાજ્ય3 Marks
Question
અકબરને સફળ શાસક શા માટે કહેવામાં આવે છે?
✓
Answer
અકબર સાહસિક, ચતુર, ખડતલ અને શાસ્ત્રોમાં પારંગત રાજા હતો. તેમણે રાજનીતિ, સાહિત્ય, શિલ્પ, ધર્મ, વગેરેને પ્રોત્સાહન આપીને વહીવટમાં અનેક સુધારા કર્યા હતા. અકબરે હિંદુઓને દરબારમાં સ્થાન આપ્યું હતું અને અનેક જવાબદારીભર્યા કામ સોંપ્યા હતા. તેમણે જમીન મહેસૂલ નીતિ તેમજ પ્રજાને અનુલક્ષીને અનેક કરવેરામાં સુધારા કર્યા હતા. અકબરે યાત્રાવેરો અને જજિયાવેરો નાબૂદ કર્યો હતો તેનાથી હિંદુ અને મુસ્લિમ વચ્ચેની ભેદરેખાને મિટાવી પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. અકબર ઉદાર અને સહિષ્ણુ રાજા હતો. પ્રજાની સુખાકારી માટે કૂવા અને તળાવો બંધાવ્યા હતા. સતી થવાનો રિવાજ, બાળલગ્ન વગેરે જેવા સામાજિક દૂષણ જેવા કુરિવાજોની મનાઈ ફરમાવી હતી. તેમણે વિધવા પુન$:$લગ્ન અને આંતરધર્માયલગ્નની છૂટ આપી હતી. દર શુક્રવારે અકબર ઈબાદતખાનામાં ધર્મસભા ભરતા હતા, તેમાં દરેક ધર્મના પ્રતિનિધિઓ અને સમર્થ વિધ્વાનો સાથે ચર્ચા કરતા હતા. જે અકબરની ધર્મપ્રિયતા દર્શાવે છે. તેમના દરબારની “નવરત્નો” ની ખ્યાતિ દેશ$-$વિદેશમાં હતી. અકબરે વિચાર આપ્યો કે “રાજયનો પાયો કોઈ એક ધર્મ નહિ પણ નાગરિકત્વ છે.” આજની બિનસાંપ્રદાયિકતાના બીજ તેમણે રોપ્યા હતા. તેઓ અલગ$-$અલગ ધર્મ પાળતા પ્રજાના રાજયનો ઉત્તમ વહીવટ કર્યો હતો. આમ, અકબરને સફળ શાસક કહેવામાં આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.