Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રપ્રસારમાન2 Marks
Question
પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો અર્થ જણાવો.
✓
Answer
પ્રસારના માપ બે પ્રકારના છે : $(1)$ નિરપેક્ષ માપ અને $(2)$ સાપેક્ષ માપ
$(1)$ નિરપેક્ષ માપ : આપેલી માહિતીના અવલોકનો જે એકમમાં દર્શાવેલા હોય તે જ એકમમાં પ્રસારનું માપ મેળવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહે છે. જેમ કે માહિતીના અવલોકનોનો એકમ મીટર હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ મીટર થશે. બે કે તેથી વધુ સમૂહોમાં રહેલાં પ્રસારના સરખામણી માટે પ્રસારનું નિરપેક્ષ માપ ઉપયોગી નથી.
$(2)$ સાપેક્ષ માપ : આપેલી માહિતીના અવલોકનોના પ્રસારના નિરપેક્ષ માપ અને તે અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોતરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. જ્યાં, પ્રસારનું સાપેક્ષ માપ $=$ પ્રસાર નું નિરપેક્ષ માપ / નિરપેક્ષ માપ જે સરેરાશના આધારે મેળવેલ હોય તે સરેરાશ
પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે. જે એકમથી મુક્ત સંખ્યાત્મક માપ છે. બે કે તેથી વધુ માહિતીના પ્રસારની સરખામણી માટે પ્રસારનું સાપેક્ષ માપ ઉપયોગી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.