Question
પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો અર્થ જણાવો.

Answer

પ્રસારના માપ બે પ્રકારના છે : $(1)$ નિરપેક્ષ માપ અને $(2)$ સાપેક્ષ માપ
$(1)$ નિરપેક્ષ માપ : આપેલી માહિતીના અવલોકનો જે એકમમાં દર્શાવેલા હોય તે જ એકમમાં પ્રસારનું માપ મેળવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહે છે. જેમ કે માહિતીના અવલોકનોનો એકમ મીટર હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ મીટર થશે. બે કે તેથી વધુ સમૂહોમાં રહેલાં પ્રસારના સરખામણી માટે પ્રસારનું નિરપેક્ષ માપ ઉપયોગી નથી.
$(2)$ સાપેક્ષ માપ : આપેલી માહિતીના અવલોકનોના પ્રસારના નિરપેક્ષ માપ અને તે અવલોકનોની યોગ્ય સરેરાશના ગુણોતરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે. જ્યાં, પ્રસારનું સાપેક્ષ માપ $=$ પ્રસાર નું નિરપેક્ષ માપ / નિરપેક્ષ માપ જે સરેરાશના આધારે મેળવેલ હોય તે સરેરાશ 
પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કહે છે. જે એકમથી મુક્ત સંખ્યાત્મક માપ છે. બે કે તેથી વધુ માહિતીના પ્રસારની સરખામણી માટે પ્રસારનું સાપેક્ષ માપ ઉપયોગી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$4$ વ્યક્તિઓને એક કારમાં કેટલી રીતે ગોઠવી શકાય $?$
અવલોકનો 4, 7, 1, 8 માટે સરેરાશ વિચલન શોધો.
બે વિધેયો $f$ અને $g$ કઈ શરતોનું સમાધાન કરે તો તે સમાન વિધેયો કહેવાય $?$
નીચે આપેલ માહિતીને યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરો : 
વર્ષ મત્સ્ય-ઉત્પાદન 
2014 50,000 
2015 1,00,000
2016 1,50,000
2017 2,50,000
એક વર્ગના $40$ વિધાર્થીઓના ગણિત વિષયમાં ગણનો મધ્યક $76$ છે, જયારે બીજા વર્ગના $50$ વિદ્યાર્થીઓ માટે તે $85$ છે. બંને વર્ગના વિધાર્થીઓના ગણિતના ગુણનો મધ્યક મેળવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે 4 અને −3 છે. જો શ્રેણીનું nમું પદ -972 હોય, તો n ની કિંમત શોધો.
પ્રશ્નાવલી શું છે ?
જો કોઈ માહિતી માટે $5 Q_1=3 Q_3=90$હોય, તો ચતુર્થક વિચલનાંક શોધો.
સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ રીતે લેવામાં આવે છે તે જણાવો.
વાસ્તવિક વિધેય $f(x)=\frac{2 x-4}{x+7}$ માટે x ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે ?